Sunday, 25 November 2012

'પંચશક્તિ વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા'

       ચાલુ  સાલે શાળા કક્ષાએ 'પંચશક્તિ વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા' યોજાઈ હતી જેમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સી.આર.સી.કક્ષાએ આ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતાને જીલ્લા કક્ષાએ ભાગ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે સમી-૨ સી.આર.સી.ની પાંચેય પેટા શાળાઓનાં બાળકોએ સદર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પંચશક્તિ નિબંધ લેખન સ્પર્ધા 

પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા 

     આ સ્પર્ધામાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે સમી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી એન.વી.ગોહિલ,કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ ,પે.સેન્ટરના આચાર્યશ્રી પસાભાઈ પટેલ ,અકબરખાન સિપાઈ મુખ્ય શિક્ષક અને માર્ગદર્શક શિક્ષકો અને આ સ્પર્ધાના નિર્ણાયકો શ્રી મહીપતરામ રાજગોર સહીત સ્પર્ધકોએ હાજરી આપી હતી.

પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં.

       'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં બહેનોના  વિભાગમાં ઝીલવાણાની વિદ્યાર્થીની ભારતીબેન ડોડીયા પ્રથમ સ્થાને રહી હતી.જેના પ્રભાવક વક્તવ્યે સોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

         'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં ભાઈઓના  વિભાગમાં કઠિવાડા શાળાનો વિદ્યાર્થી  સંકેતજી ઠાકોર દ્વિતીય સ્થાને રહ્યો હતો.

'પંચશક્તિ નિબંધ લેખન સ્પર્ધા'માં ભાઈઓના વિભાગમાં પાર્થ ડોડીયા ઝીલવાણા શાળાનો વિદ્યાર્થી પ્રથમ રહ્યો હતો.


'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં બહેનોના  વિભાગમાં સમી કન્યા શાળા નં-૨ ની  વિદ્યાર્થીની  સંકેતજી પ્રથમ  સ્થાને રહી હતો.


 




No comments:

Post a Comment