Saturday, 7 January 2012

CRC SAMI-2

       તા.૭/૦૧/૨૦૧૨ના રોજ સી.આર.સી.સમી-૨ માં  એક દિવસીય શિક્ષક સેવાકાલીન તાલીમ યોજાઈ ગઈ જેમાં માનનીય વડાપ્રધાનશ્રી મનમોહનસિંહ અને માનનીય શિક્ષણપ્રધાનશ્રી કપિલ સિબ્બલ દ્વારા  સ્વતંત્ર ભારતના પ્રથમ  શિક્ષણપ્રધાન ડો.મૌલાના અબ્દુલ  કલામના જન્મદિન તા.૧૧/૧૧/૨૦૧૧ને ' શિક્ષણ દિન ' તરીકે ઉજવવા પ્રસંગે સંદેશ મળેલ તેનું વાંચન કરવામાં આવ્યું હતું.
      તાલીમમા ચિંતનનો મુદ્દો તારોરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કાન્તીજી ઠાકોરે લઈ 'ઉત્તરાયણ પર્વ' વિષે ગહન ક્ષનાવટ કરવામાં આવી હતી.
     તાલીમ બયાસેગના માધ્યમથી આપવામાં આવી હતી.જેમાં 'સંકલિત ઉપચારાત્મક વર્ગ' અને 'પ્રજ્ઞા અભિગમ' વિષે શ્રી દિનેશ ભાઈ દેસાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેને શિક્ષક મિત્રોએ  ખુબજ રસપૂર્વક સાંભળ્યું હતું.
          તાલીમમાં કુલ -૩૭ સારસ્વતોએ ભાગ લીધો હતો.આમ તો એડપ્સ અંતર્ગત દરેક બાળકની  પ્રોફાઈલ બનાવાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો શા માટે શિક્ષકોની પણ પ્રોફાઈલ તૈયાર ના કરવામાં આવે ? આ સેવાકાલીન તાલીમ દરમ્યાન અમારી સી.આર.સી.ની.તમામ પાંચ શાળાઓ અને ચાલીસ શિક્ષકોની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી હતી.

No comments:

Post a Comment