સમીના મફતપુરા વિસ્તારમાં ચાલતા એ.એલ.એસ.વર્ગની તા.૨૩/૧૨/૨૦૧૧ના રોજ મુલાકાત લીધી હતી.જેમાં ભૂલકાં સાથે વર્ગના બાલમિત્ર શ્રી લાખાભાઈ અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ
વર્ગની મુલાકાત દરમ્યાન સ્થાનિક વાલીઓનો સંપર્ક કર્યો હતો જેમાં વિસ્તારના પૂર્વ ગ્રામ પંચાયત સદસ્યા જેતુનબેન સાથેના વાર્તાલાપથી જાણવા મળ્યું હતું કે કેટલાક બાળકો આ વિસ્તારમાંથી શાળા કે આંગણવાડીએ જતા નથી જેથી તે જ દિવસે સાંજે ૬:૦૦ કલાકે વાળી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી.આર.સી.સમી-૨ ના સમીના મફતપુરા પરા વિસ્તારના વાલીઓની મીટીંગના એજન્ડા નીચે મુજબ હતા.
૧. બાળકોને શાળાએ મોકલવા વાલીઓને સમજાવવા
૨. જે બાળકો શાળાએ નથી જઈ શક્યા તેમને એ.એસ.વર્ગમાં મોકલવા
૩. એ.એસ.વર્ગ માટે બેસવાની જગ્યા શોધવી
૪. આંગણવાડી શરુ થઇ શકે તેમ હોય તો સર્વે કરવો
૫. નવી શાળાની શક્યતા તપાસવી
સાંજે ૬:૦૦ કલાકે મળેલી વાળી મીટીંગમાં સમી ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રી ગફુરભાઈ ,એસ.એમ.સી.નાં અધ્યક્ષ શ્રી મુસાભાઈ ,સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ ,સભ્ય સચિવ શ્રી અકબરખાન સિપાઈ ,પૂર્વ ગ્રામ પંચાયત સદસ્યા જેતુનબેન,બાલમિત્ર શ્રી લાખાભાઈ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાલી મીટીંગની ફલશ્રુતિએ હતી કે એ.એલ.એસ.વર્ગને બેસવા માટેના મકાનની તાત્કાલિક વ્યવસ્થા સરપંચશ્રીએ ગોઠવી દીધી હતી તો સર્વે હાથ ધરીને જો બાળકો પુરતી સંખ્યામાં મળી રહે તો શાળા કે આંગણવાડી માટે જગ્યાની વ્યવસ્થા કરી આપવાની સરપંચે ખાતરી આપી હતી.અત્યારે ૦ થી ૧૪ વર્ષના બાળકોનો સર્વે ચાલી રહ્યો છે.
સમી કન્યા પ્રા.શાળા નં-૨
તા.૨૮/૧૨/૨૦૧૧ ના રોજ સી.આર.સી.સમી-૨ ની સદર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બીજને ઉગવા માટે હવા અને ભેજની જરૂર હોય છે તે સાબિત કરતો અનોખો પ્રયોગ હાથ ધરેલ જેમાં રાઈ (રાયડા)નાં બીજને પ્લાસ્ટીકના નાના કૂંડામાં કપાસનું રૂ ભરી તેમાં યોગ્ય પાણી આપીને રાઈ ના છોડ ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ આ રહ્યા રાઈના છોડ .!!!
બાલિકાઓ તેમના આ સફળ પ્રયોગને કારણે ખુબ જ ખુશ છે.






No comments:
Post a Comment